ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ: 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય 100 MCQ

 ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

પ્રકરણ: 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

(1) ભારતનું કયું પ્રાચીન નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું ?

(A) મધ્યકાલીન

(B) પ્રાચીન

(C) સિંધુકાલીન

(D) એકપણ નહીં

Answer : (C) સિંધુકાલીન

(2) સ્થાપત્યનો સરળ અર્થ શું થાય છે.

(A) વાસ્તુ

(B) શિલ્પ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

Answer : (C) બાંધકામ

(3) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ક્યો શબ્દ વપરાય છે.

(A) વાસ્તુ

(B) કિલ્લાઓ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

Answer : (A) વાસ્તુ

(4) સ્થાપત્યકલામાં………………..નું કૌશલ્ય પ્રયોજાય છે.

(A) કારીગર

(B) સ્થપતિ

(C) આયોજન

(D) એકપણ નહીં

Answer : (B) સ્થપતિ

(5) ભારત પ્રાચીન સમયથી નીચેના પૈકી કઇ બાબતમાં નિપુણતા ધરાવે છે.

(A) કિલ્લેબંધી

(B) બાંધકામ

(C) નગર-આયોજન

(D) એકપણ નહીં

Answer : (C) નગર-આયોજન

(6) મોહેં-જો-દડોનો અર્થ શું છે ?

(A) મરેલાંનો ટેકરો

(B) મરેલાંના અવશેષો

(C) મરેલાંનાં શરીરો

(D) એકપણ નહીં

Answer : (A) મરેલાંનો ટેકરો

(7) ઈ. સ. ……………….માં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

(A) 1919

(B) 1908

(C) 1922

(D) 1914

Answer : (C) 1922

(8) ………………નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું.

(A) મોહેં-જો-દડો

(B) ધોળાવીરા

(C) લોથલ

(D) એકપણ નહીં

Answer : (A) મોહેં-જો-દડો

(9) મોહેં-જો-દડોમાં …………………નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.

(A) મધ્યમ વર્ગ

(B) શ્રીમંતો

(C) નીચલા વર્ગ

(D) એકપણ નહીં

Answer : (B) શ્રીમંતો

(10) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની…………………..છે.

(A) ગટર યોજના

(B) સ્નાનાગાર

(C) કિલ્લેબંધી

(D) એકપણ નહીં

Answer : (A) ગટર યોજના


(11) મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના……….……ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.

(A) ક્રીટ

(B) સેંટ પોલ

(C) પ્રિન્સ એડવર્ડ

(D) એકપણ નહીં

Answer : (A) ક્રીટ

(12) મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક………………..હતો.

(A) બેઠકખંડ

(B) ખાળકૂવો

(C) હીંચકો

(D) એકપણ નહીં

Answer : (B) ખાળકૂવો

(13) મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં………………..મકાનો મળ્યાં છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

Answer : (A) બે

(14) ઈ. સ. ……………માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ-પ્રાચીન અવશેષોની શોધ કરી.

(A) 1932

(B) 1928

(C) 1921

(D) 1931

Answer : (C) 1921

(15) ઈ. સ. 1921માં…………..એ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.

(A) ૨ખાલદાસ બેનરજીએ

(B) રવીન્દ્રસિંહ બિસ્તે

(C) દયારામ સહાનીએ

(D) એકપણ નહીં

Answer : (C) દયારામ સહાનીએ

(16) ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) આલમગીરપુર

(B) કાલિબંગન

(C) લોથલ

(D) એકપણ નહીં

Answer : (A) આલમગીરપુર

(17) રાજસ્થાનમાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) લોથલ

(B) કાલિબંગન

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

Answer : (B) કાલિબંગન

(18) …………………નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.

(A) દક્ષિણ ભારતની

(B) સૌરાષ્ટ્રની

(C) સપ્તસિંધુ                               

(D) એકપણ નહીં

Answer : (C) સપ્તસિંધુ       

(19) સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે………………ની સંસ્કૃતિ કહેવાય છે.

(A) હડપ્પા

(B) સિંધુખીણ

(C) પાષાણયુગ

(D) એકપણ નહીં

Answer : (B) સિંધુખીણ

(20) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને…………… સંસ્કૃતિ કહે છે.

(A) હડપ્પીય

(B) સપ્તસિંધુ

(C) ભારતીય

(D) એકપણ નહીં

Answer : (A) હડપ્પીય

(21) સપ્તસિંધુના સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો મળી આવ્યાં છે, તેથી તેને……………..યુગની સંસ્કૃતિ પણ કહે છે.

(A) તામ્ર

(B) પાષાણ

(C) તામ્ર-પાષાણ

(D) એકપણ નહીં

Answer : (C) તામ્ર-પાષાણ

(22) ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દીવાલોને……………..રંગ કરવામાં આવ્યો હતો.

(A) સફેદ

(B) લાલ

(C) ભૂખરો

(D) એકપણ નહીં

Answer : (A) સફેદ

(23) ……………માં પાણીના શુદ્ધીકરણની વ્યવસ્થા અદ્ભુત હતી.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) એકપણ નહીં

Answer : (A) ધોળાવીરા

(24) …………………માં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો.

(A) મોહેં-જો-દડો

(B) લોથલ

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

Answer : (B) લોથલ

(25) મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ……………..માં આવેલ છે.

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) મધ્યપ્રદેશ

(D) એકપણ નહીં

Answer : (C) મધ્યપ્રદેશ

(26) સાંચીનો અસલ સ્તૂપ………………નો બનાવેલો હતો.

(A) ઈંટો

(B) પથ્થરો

(C) આરસ

(D) એકપણ નહીં

Answer : (A) ઈંટો

(27) સમ્રાટ અશોકના સ્તંભલેખો………………લિપિમાં કોતરેલા છે.

(A) હિન્દી

(B) સંસ્કૃત

(C) બ્રાહ્મી

(D) એકપણ નહીં

Answer : (C) બ્રાહ્મી

(28) …………..સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે.

(A) નંદનગઢનો

(B) સારનાથનો

(C) સાંચીનો

(D) એકપણ નહીં

Answer : (B) સારનાથનો

(29) સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા……………….સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

Answer : (C) ચાર

(30) ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ……………..માં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે.

(A) પાવાગઢ

(B) જૂનાગઢ

(C) વેરાવળ

(D) એકપણ નહીં

Answer : (B) જૂનાગઢ

(31) નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ………………શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

(A) દ્રવિડ

(B) મથુરા

(C) નાગર

(D) એકપણ નહીં

Answer : (A) દ્રવિડ

(32) ………………..રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

(A) ચોલ

(B) સાતવાહન

(C) ચૌલ

(D) એકપણ નહીં

Answer : (C) ચૌલ

(33) ભારતવર્ષનાં ગુફા-સ્થાપત્યો મનુષ્યકૃત……………….ગણાય છે.

(A) તીર્થધામો

(B) ગિરિધામો

(C) સૌંદર્યધામો

(D) એકપણ નહીં

Answer : (C) સૌંદર્યધામો

(34) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ…………….એ શોધી કાઢી હતી.

(A) કે. કા. શાસ્ત્રીએ

(B) ઉમાશંકર જોશીએ

(C) રાજેન્દ્ર શાહે

(D) એકપણ નહીં

Answer : (A) કે. કા. શાસ્ત્રીએ

(35) પલ્લવોની રાજધાની ……………… ખાતે બંધાયેલાં મંદિરો પ્રસિદ્ધ છે.

(A) થંજાવુર

(B) રાંચી

(C) કાંચી

(D) એકપણ નહીં

Answer : (C) કાંચી

(36) ………………નું મંદિર ચોલવંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે.

(A) બૃહદેશ્વર

(B) લારખાન

(C) મીનાક્ષી

(D) એકપણ નહીં

Answer : (A) બૃહદેશ્વર

(37) લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ………………નું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.

(A) કૈલાસનાથ

(B) ભૂમરા

(C) બૃહદેશ્વર

(D) એકપણ નહીં

Answer : (C) બૃહદેશ્વર

(38) ……………..એટલે મંદિરનું પ્રવેશદ્વાર.

(A) મંડપ

(B) ગોપુરમ્

(C) વિમાન

(D) એકપણ નહીં

Answer : (B) ગોપુરમ્

(39) …………………માં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

(A) ઓડિશા

(B) મધ્યપ્રદેશ

(C) બિહાર

(D) એકપણ નહીં

Answer : (A) ઓડિશા

(40) તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને…………………માળનું ‘ગોપુરમ્’ છે.

(A) પંદર

(B) બાર

(C) તેર

(D) દસ

Answer : (C) તેર


(41) નટરાજની……………….તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

(A) પાષાણપ્રતિમા

(B) કાંસ્યપ્રતિમા

(C) તામ્રપ્રતિમા

(D) એકપણ નહીં

Answer : (B) કાંસ્યપ્રતિમા

(42) મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.

(A) શિવમંદિર

(B) બૃહદેશ્વર મંદિર

(C) મીનાક્ષી મંદિર

(D) એકપણ નહીં

Answer : (C) મીનાક્ષી મંદિર

(43) બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને………………….કહે છે.

(A) મધુવન

(B) શ્રેષ્ઠ વન

(C) સુંદરવન

(D) એકપણ નહીં

Answer : (A) મધુવન

(44) ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી…………..એ બંધાવ્યું હતું.

(A) સિદ્ધરાજ જયસિંહે

(B) ભીમદેવ પ્રથમે

(C) ભીમદેવ બીજાએ

(D) એકપણ નહીં

Answer : (B) ભીમદેવ પ્રથમે

(45) મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની………………વિવિધ મૂર્તિઓ છે.

(A) 12

(B) 10

(C) 16

(D) 14

Answer : (A) 12

(46) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ…………………શૈલીમાં થયેલું છે.

(A) ઈરાની

(B) મુઘલ

(C) મથુરા

(D) એકપણ નહીં

Answer : (A) ઈરાની

(47) કુતબુદ્દીન ઐબકે……………….માં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

(A) અજમેર

(B) જયપુર

(C) દિલ્લી

(D) એકપણ નહીં

Answer : (A) અજમેર

(48) મસ્જિદમાં………………હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે.

(A) લિવાન

(B) મહેરાબ

(C) કિબલા

(D) એકપણ નહીં

Answer : (C) કિબલા

(49) મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને……………….કહે છે.

(A) મહેરાબ

(B) લિવાન

(C) મકસુરા

(D) એકપણ નહીં

Answer : (B) લિવાન

(50) મસ્જિદના કિબલા (દીવાલ) ના અંતના ભાગને……………….કહે છે.

(A) સહન

(B) ગલિયારા

(C) મકસુરા

(D) એકપણ નહીં

Answer : (C) મકસુરા


(51) મસ્જિદનું પ્રાંગણ…………………કહેવાય છે.

(A) ગલિયારા

(B) લિવાન

(C) સહન

(D) એકપણ નહીં

Answer : (C) સહન

(52) હિમાચલ પ્રદેશમાં………………..ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) રો૫૨

(B) આલમગીરપુર

(C) કુન્તાસી

(D) એકપણ નહીં

Answer : (A) રો૫૨

(53) ગુજરાતના ધોળકા તાલુકામાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) દેશળપુર

(B) લોથલ

(C) ધોળાવીરા

(D) એકપણ નહીં

Answer : (B) લોથલ

(54) ગુજરાતના કચ્છ જિલ્લાના………………..ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) રંગપુર

(D) એકપણ નહીં

Answer : (A) ધોળાવીરા

(55) ……………… ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

(A) ધોળાવીરા

(B) લોથલ

(C) હડપ્પા

(D) એકપણ નહીં

Answer : (B) લોથલ

(56) જૂનાગઢમાં…………………….ગુફાસમૂહો આવેલા છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

Answer : (B) ત્રણ

(57) તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને……………….ગુફાઓની રચના કરવામાં આવી છે.

(A) 25

(B) 30

(C) 35

(D) 40

Answer : (B) 30

(58) દક્ષિણ ભારતનાં રથમંદિરો……………….યુગની આગવી ઓળખ છે.

(A) પાંડય

(B) ચોલ

(C) પલ્લવ

(D) એકપણ નહીં

Answer : (C) પલ્લવ

(59) …………………….મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.

(A) ખજુરાહો

(B) કાંચી

(C) તાંજોર

(D) એકપણ નહીં

Answer : (A) ખજુરાહો

(60) ગુજરાતમાં પંચાસરા મંદિર…………………….માં આવેલું છે.

(A) દેલવાડા

(B) પાલિતાણા

(C) શંખેશ્વર

(D) એકપણ નહીં

Answer : (C) શંખેશ્વર


(61) ગુજરાતમાં………………..ખાતે જામી મસ્જિદ આવેલી છે.

(A) અમદાવાદ

(B) ચાંપાનેર

(C) જૌનપુર

(D) એકપણ નહીં

Answer : (B) ચાંપાનેર

(62) ગુજરાતમાં પાટણ ખાતે………………….વાવ આવેલી છે.

(A) રાણકી

(B) દાદા હરિની

(C) હીરા ભાગોળ

(D) એકપણ નહીં

Answer : (A) રાણકી

(63) ગુજરાતમાં………………….ખાતે રુદ્રમહાલય આવેલો છે.

(A) પાટણ

(B) વડનગર

(C) સિદ્ધપુર

(D) એકપણ નહીં

Answer : (C) સિદ્ધપુર

(64) ગુજરાતમાં…………………..ખાતે મુનસર તળાવ આવેલું છે.

(A) ચાંપાનેર

(B) વિરમગામ

(C) પાટણ

(D) એકપણ નહીં

Answer : (B) વિરમગામ

(65) ગુજરાતમાં………………ખાતે મલાવ તળાવ આવેલું છે.

(A) ધોળકા

(B) વિરમગામ

(C) જૂનાગઢ

(D) એકપણ નહીં

Answer : (A) ધોળકા

(66) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

(A) વાસ્તુ

(B) કોતરણી

(C) મંદિર

(D) ખંડેર

Answer : (A) વાસ્તુ

(67) સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?

(A) હડપ્પાનું

(B) મોહેં-જો-દડોનું

(C) લોથલનું

(D) સુરકોટડાનું

Answer : (B) મોહેં-જો-દડોનું

(68) મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

(A) રસ્તાઓ

(B) ભૂગર્ભ ગટર યોજના

(C) જાહેર સ્નાનાગર

(D) જાહેર મકાનો

Answer : (B) ભૂગર્ભ ગટર યોજના

(69) મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?

(A) ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં

(B) અરબ સાગરના લક્ષદ્વિપ ટાપુમાં

(C) ઍટલૅન્ટિક મહાસાગરના બર્મ્યૂડા ટાપુઓમાં

(D) બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં

Answer : (A) ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં

(70) ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?

(A) બેરતનો

(B) ઉપરકોટનો

(C) નંદનગઢનો

(D) દેવની મોરીનો

Answer : (D) દેવની મોરીનો


(71) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?

(A) મહેરાબ

(B) હર્મિકા

(C) મેધિ

(D) તોરણ

Answer : (B) હર્મિકા

(72) સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

(A) હર્મિકા

(B) મેધિ

(C) તોરણ

(D) મહેરાબ

Answer : (B) મેધિ

(73) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી

(B) બ્રાહ્મી

(C) ઉર્દૂ

(D) ઉડીયા

Answer : (B) બ્રાહ્મી

(74) ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

(A) ચાર સિંહોની આકૃતિને

(B) ચાર વૃષભની આકૃતિને

(C) શિવની આકૃતિને

(D) બે ઘોડાની આકૃતિને

Answer : (A) ચાર સિંહોની આકૃતિને

(75) કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?

(A) ચોલયુગ

(B) મૌર્યયુગ

(C) પાંડ્યયુગ

(D) ગુપ્તયુગ

Answer : (D) ગુપ્તયુગ

(76) ઉદયગિરિ, ખંડિગિરિ, નીલિંગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

(A) ભુવનેશ્વર

(B) મુંબઈ

(C) ઔરંગાબાદ

(D) જૂનાગઢ

Answer : (A) ભુવનેશ્વર

(77) ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

(A) મંદિર સ્થાપત્યો

(B) ગુફા-સ્થાપત્યો

(C) વિહાર સ્થાપત્યો

(D) ચૈત્ય સ્થાપત્યો

Answer : (B) ગુફા-સ્થાપત્યો

(78) એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

(A) સાતવાહન

(B) પાંડ્ય

(C) પલ્લવ

(D) ચોલ

Answer : (C) પલ્લવ

(79) નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી?


(A) સાત સૂંઢવાળો ઐરાવત

(B) બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ લખાણ

(C) ચાર ધર્મચક્રો

(D) પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહો

Answer : (A) સાત સૂંઢવાળો ઐરાવત

(80) ગોપુરમ્ એટલે શું?

(A) મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ

(B) સ્તંભો પર રચાયેલ મોટો હૉલ

(C) બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો

(D) મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ

Answer : (D) મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ


(81) ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

(A) ખજૂરાહોમાં

(B) બંડીપુરમાં

(C) મદુરાઈમાં

(D) મલ્લપુરમમાં

Answer : (C) મદુરાઈમાં

(82) દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

(A) મહારાષ્ટ્રમાં

(B) ગુજરાતમાં

(C) રાજસ્થાનમાં

(D) મધ્યપ્રદેશમાં

Answer : (C) રાજસ્થાનમાં

(83) ગુજરાતના……………….ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા

(B) વડનગર

(C) ખેરાલુ

(D) વિજાપુર

Answer : (A) મોઢેરા

(84) દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્–ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?

(A) સિકંદર બુતશિકને

(B) ફીરોઝશાહ તઘલખે

(C) કુતુબુદ્દીન ઐબકે

(D) ઇલ્તુત્મિશે

Answer : (C) કુતુબુદ્દીન ઐબકે

(85) અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

(A) નગીના મસ્જિદ

(B) અટાલા મસ્જિદ

(C) દરિયાખાનનો ઘુમ્મટ

(D) સીદી સૈયદની જાળી

Answer : (D) સીદી સૈયદની જાળી

(86) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

1. મસ્જિદની દીવાલનો અંત ભાગ a. કિબલા

2. મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો b. મકસુરા

3. નમાજ પઢવાના હૉલની દીવાલ c. લિવાન

4. મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો d. ગલિયારા

(A) (1 – b), (2 – d), (3 – c), (4 – a)

(B) (1 – b), (2 -a), (3−d), (4 – c)

(C) (1– b), (2 – d), (3 – a), (4 – c)

(D) (1 – b), (2 – c), (3 – d), (4 – a)

Answer : (C) (1– b), (2 – d), (3 – a), (4 – c)

(87) અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ

(B) જુમ્મા મસ્જિદ

(C) સિપ્રીની મસ્જિદ

(D) મસ્જિદે નગીના

Answer : (A) જામા મસ્જિદ

(88) લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો

(B) થાંભલો

(C) ધક્કો

(D) જાળી

Answer : (C) ધક્કો

(89) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?


(A) ધોળાવીરા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) હડપ્પા

Answer : (C) મોહેં-જો-દડો

(90) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

(A) લોથલ

(B) હડપ્પા

(C) મોહેં-જો-દડો

(D) ધોળાવીરા

Answer : (D) ધોળાવીરા

(91) નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

(A) લોથલ

(B) ધોળાવીરા

(C) હડપ્પા

(D) મોહેં-જો-દડો

Answer : (A) લોથલ

(92) નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) સારનાથના સ્તૂપનું

(B) બેરતના સ્તૂપનું

(C) નંદનગઢના સ્તૂપનું

(D) સાંચીના સ્તૂપનું

Answer : (D) સાંચીના સ્તૂપનું

(93) નીચે આપેલ સિંહાકૃતિ ક્યાંની છે?

(A) સારનાથની

(B) સાંચીની

(C) કાશીની

(D) પટનાની

Answer : (A) સારનાથની

(94) નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?

(A) સૂર્યમંદિરનું

(B) જૈનમંદિરનું

(C) રથમંદિરનું

(D) કીર્તિતોરણનું

Answer : (C) રથમંદિરનું

(95) નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.

(A) મોઢેરાનું સૂર્યમંદિર

(B) કોણાર્કનું સૂર્યમંદિર

(C) ભૂમરાનું શિવમંદિર

(D) બૃહદેશ્વરનું મંદિર

Answer : (D) બૃહદેશ્વરનું મંદિર

(96) નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?

(A) સિદ્ધપુર

(B) દ્વારકા

(C) પાવાગઢ

(D) વડનગર

Answer : (D) વડનગર

(97) નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

(A) સોમનાથના મંદિરનું

(B) રણછોડરાયજીના મંદિરનું

(C) શામળાજી મંદિરનું

(D) મોઢેરાના સૂર્યમંદિરનું

Answer : (A) સોમનાથના મંદિરનું

(98) નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?

(A) દાદા હરિની વાવનું

(B) રાણકી વાવનું

(C) અડાલજની વાવનું

(D) હીરા ભાગોળની વાવનું

Answer : (C) અડાલજની વાવનું

(99) ભારતનું પ્રાચીન………….નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

(A) મધ્યકાલીન

(B) પ્રાચીન

(C) સિંધુકાલીન

(D) એકપણ નહીં

Answer : (C) સિંધુકાલીન

(100) સ્થાપત્યનો સરળ અર્થ……………..એવો થાય છે.

(A) વાસ્તુ

(B) શિલ્પ

(C) બાંધકામ

(D) એકપણ નહીં

Answer : (C) બાંધકામ

Post a Comment

Previous Post Next Post

Group3

Reviews